બાલાસિનોર રૈયોલી ગામ ખાતે લપ્પી વાયરસ રસીકરણ નો શુભારંભ કરવામાં આવ્યો
રૈયોલી ગામ ખાતે આજે તારીખ 05/08/2022 ના
LSD લંપી સ્કિન ડીસીઝ અન્વયે પશુદવાખાના બાલાસિનોર ના સ્ટાફ દ્વારા રસીકરણ કવામાં આવ્યું.
ડો.ડી.જે.પટેલ
અબ્દુલઅઝીઝ.એ.શેખ
જી.એસ.શેખ
હસમુખ ચૌહાણ
પારસ મકવાણા
મહીસાગર જિલ્લામાં લમ્પીડિસીસનો પગપેસારો
. લમ્પી સ્કિન ડિસીસથી હાલ કોઇપણ પશુનું મરણ થયેલ નથી
• વાઇરસને નાથવા પશુ પાલન વિભાગની દોડધામ
સમગ્ર રાજયમાં ફેલાયેલા લમ્પી સ્કિન ડીસીઝને લઇને રાજ્યના પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝના બહારથી આવેલ પશુઓના કારણે બે કેસો જણાઇ આવતાં અસરગ્રસ્ત ગામોમાં સારવારની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝના રોગચાળાથી પશુધનને બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના ગામોમાં પશુઓને રસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.