જામનગરમાં પિત્તળના સળીયાની ચોરી કાંડમાં 2 મહિલાની અટકાયત કરતી પોલીસ - At This Time

જામનગરમાં પિત્તળના સળીયાની ચોરી કાંડમાં 2 મહિલાની અટકાયત કરતી પોલીસ


જામનગરમાં પિત્તળના સળીયાની ચોરી કાંડમાં 2 મહિલાની અટકાયત કરતી પોલીસ

જામનગરની કૃષ્ણ કોલોનીમાં એક કારખાનામાંથી પિત્તળના સળિયાની ચોરી થઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ કરાયા બાદ પોલીસે તપાસ કરી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી લીધી છે. હાલ પિત્તળ ચોરીમાં સંડોવાયેલા 2 મહિલાને પકડી પાડી તેમની વિરૂદ્ધ કાર્યવાહી આદરી છે.

આ અંગેની વિગત એવી છે કે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં કૃષ્ણ કોલોનીમાં ૮૦ કિલો પિત્તળના સળીયાની ચોરી થઈ હતી. જે મામલે કારખાનાના ભરતભાઈ વિઠ્ઠલભાઈ માંડવીયા એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમા ગયા મહિનાની ૧૯ તારીખે ૮૦ કિલો પિત્તળના સળીયાની ચોરી થઈ હતી. કારખાનાના પાછળના ભાગે આવેલ ખુલ્લા પ્લોટમાંથી અંદાજે 40 હજારના વાયર ચોરાયા હોવા સહિતની સમગ્ર વિગતો પ્રકાશમાં આવી હતી.

જે મામલે પોલીસ દ્વારા સીસીટીવી તપાસવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વેળાએ ગુન્હાની તપાસ દરમિયાન ચોરીમાં બે મહિલાની સંડોવણી બહાર આવી હતી. જે મહિલા સાત રસ્તા નજીક રહેતી હોવાનું પણ બહાર આવ્યું હતું. આથી પોલીસે સાત રસ્તા નજીક દોડી જય ગીતાબેન વનરાજ પરમાર તથા સામુબેન રવિ પરમાર નામની મહિલાની અટકાયત કરી હતી. જેની પૂછપરછ હાથ ધરતા બંનેએ 80 કિલો વજનના પિત્તળના સળીયા ની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેને લઇને પોલીસે મુદ્દામાલ જપ્ત કરી મહિલા સામે કાર્યવાહી હાથ ધરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.