તિરંગાને સો સો સલામ, રાષ્ટ્રપ્રેમની જ્યોતને સલામ :શિક્ષક પ્રવીણભાઈ ખાચર - At This Time

તિરંગાને સો સો સલામ, રાષ્ટ્રપ્રેમની જ્યોતને સલામ :શિક્ષક પ્રવીણભાઈ ખાચર


બોટાદ જિલ્લાની ચાચરીયા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ ખાચરે હર ઘર તિરંગા અભિયાન અન્વયે જણાવ્યું હતું કે, "આ દેશની આન-બાન અને શાન સમાન તિરંગો જ્યારે ગર્વભેર લહેરાતો હોય ત્યારે તેને જોઈને પ્રત્યેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય. હું પૂર્ણ ભાવ સાથે કહી શકું કે જયારે જયારે આ તિરંગાને આભમાં લહેરાતા જોઉં છું ને ત્યારે ત્યારે સાક્ષાત તિરંગો બોલતો હોય તેવું જ લાગે કે,
આજ તિરંગો બોલે, તેના હૃદય કપાટો ખોલે,
આજ તિરંગો બોલે...
તિરંગાને સો સો સલામ, રાષ્ટ્રપ્રેમની જ્યોતને સલામ."

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon