શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ નિરમાં લિમિટેડ ના સૌજન્ય થી હિમોગ્લોબીન તપાસ કરાય - At This Time

શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ નિરમાં લિમિટેડ ના સૌજન્ય થી હિમોગ્લોબીન તપાસ કરાય


શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ નિરમાં લિમિટેડ ના સૌજન્ય થી હિમોગ્લોબીન તપાસ કરાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ગત જુલાઈ થી ડિસેમ્બર માસ 2022 દરમિયાન ભાવનગરના કાંઠા વિસ્તારના ભાલ પંથક ના ગામો ની શાળાઓમો બાળકો ની લોહી માં હિમોગ્લોબીન તપાસ કરી દવા વિતરણ કાર્યક્રમ કરવા માં આવેલ..... શાળા પરિસરમાં યોજેલ આરોગ્ય શિબિર દરમિયાન 10% થી ઓછું હિમોગ્લોબિન ધરાવતા બાળકો માટે રી- ચેકઅપ કેમ્પ તા.20 માર્ચ ના યોજાઈ ગયો....અધેલાઈ તથા જશવંતપુર ની શાળા ના બાળકો માટે ના કાર્યક્રમમાં જરૂરિયાત ધરાવતા 28 વિધાર્થી ને શિક્ષકોની હાજરીમાં માર્ગદર્શન સાથે દવા આપવામાં આવી હતી ...... નિરમા ઉદ્યોગ દ્વારા વિદ્યાર્થીઓની વિશેષ કાળજી માટે યોજાયેલ ફોલોપ શિબિર થકી જાણવા મળ્યું કે બાળકોના હિમોગ્લોબિન માં 60% જેટલો સુધાર નોંધનીય રહ્યો છે.....
શિશુવિહાર થી ટેક્નિશિયન. શ્રી રેખાબહેન ભટ્ટ તથા નિરમા લિમિટેડના આસીસ્ટન્ટ શ્રી પ્રણવ ભાઈ ભટ્ટ તેમજ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ , શ્રી ગજેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.
કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon