ભાવનગરમાં રવિવારે બુરહાની ગ્રુપ દ્વારા મહા રકતદાન કેમ્પ યોજાશે: તડામાર તૈયારીઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dosol1vv6hhzwcoo/" left="-10"]

ભાવનગરમાં રવિવારે બુરહાની ગ્રુપ દ્વારા મહા રકતદાન કેમ્પ યોજાશે: તડામાર તૈયારીઓ


ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજના બુરહાની ગ્રુપ દ્વારા આગામી તા.૮ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ મહા રકતદાન કેમ્પ યોજાશે શહેરની બહારની વ્હોરવાડ વિસ્તારમાં આવેલ
નજમી હોલ ખાતે રાખવામાં આવેલ આ બુરહાની ગ્રુપના સળંગ ૩૩માં રકતદાન કેમ્પમાં દાઉદી વ્હોરા સમાજ સહિતઅન્ય સમાજના ભાઈ બહેનો ઉમટી પડી બ્લડબેંક છલકાવી દેશે દર વર્ષે બુરહાની ગ્રુપ દ્વારા યોજાતો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે છે ખાસ કરીને આ રકતદાન કેમ્પમાં શહેરના સામાજિક અગ્રણી કાર્યકર ઈસ્માઈલભાઈ ટીનવાળા એ જુદી જુદી જગ્યાએ ૭૯ વખત રક્તદાન કર્યું છે આ કેમ્પમાં પણ રકતદાન કરી પોતાનો જ રેકોર્ડ આ કૅમ્પમાં તોડશે એમ માનવામાં આવે છે દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમાં ધર્મગુરુની યાદમાં અને વર્તમાન ત્રેપનમાં ધર્મગુરુ ડો. સૈયદના સાહેબની ઉમુર સેહતમાં ભાવનગરમાં અનેકાઍક સેવા કાર્યોમાં મોખરે બુરહાની ગ્રુપના સભ્યો આ કેમ્પ સફળ બને તે અંગે જહેમત ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]