થાનગઢ તાલુકાના અમરાપર ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ* - At This Time

થાનગઢ તાલુકાના અમરાપર ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ*


થાનગઢ તાલુકાના અમરાપર ગામ ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત શ્રી અમરાપર પ્રાથમિક શાળા નં. ૧ ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દેશને આઝાદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારોની વેશભૂષા ધારણ કરી વીર સપુતોને યાદ કરી સ્મરણાંજલિ અપર્ણ કરી હતી. તેમજ “તિરંગા યાત્રા” યોજી ગ્રામજનોને દેશના આ રાષ્ટ્રીય મહાપર્વમાં સ્વયંભુ જોડાઈને “હર ઘર તિરંગા અભિયાન” અન્વયે દરેક ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અનુરોધ કર્યો હતો. તેમજ ગામમાં ઘરે ઘરે તિરંગાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં થાનગઢ મામલતદારશ્રી નિલેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુનાબેન સહીત તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યો, શાળા વ્યવસ્થાપન કમિટીના સભ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.