આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પ્રમુખ અને જન શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયાની દીકરી ધાર્મિના જન્મ દીવસ નિમિતે શુભેચ્છાઓનો ધોધ વરસ્યો - At This Time

આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પ્રમુખ અને જન શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયાની દીકરી ધાર્મિના જન્મ દીવસ નિમિતે શુભેચ્છાઓનો ધોધ વરસ્યો


જસદણમાં આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ અને જનશક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયાની દીકરીનો ગઈકાલે જન્મદિવસ હતો. સ્વાભાવિક છે કે હિતેશભાઈ ખાખરીયા તાજેતરમાં જસદણ પંથકમાં જનશક્તિ ફાઉન્ડેશન નામની સંસ્થાને શરૂઆત કરેલ છે આ સંસ્થામાં તેઓ અનેક કાર્યક્રમો યોજી લોક ઉપયોગી કામગીરી કરી રહ્યા છે. ત્યારે ટૂંક સમય પહેલા જ વાલુડી દીકરીના વિવાહ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ભવયાતી ભવ્ય યોજાયો હતો અને આવનાર તારીખ 02 ફેબ્રુઆરી 2025 ના રોજ પણ વાલુડી દીકરીના વિવાહ બીજો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનો ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે વધુમાં હિતેશભાઈ એ જણાવ્યું હતું કે જે પણ કોઈ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ 15 જાન્યુઆરી છેલ્લી તારીખ વહેલી તકે જન શક્તિ ફાઉન્ડેશન મેમ્બરનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે અને હિતેશભાઈ ની દીકરીના જન્મદિન નિમિત્તે હિતેશભાઈ ને 98241 30332 નંબર પર ખોબલે ખોબલે શુભેચ્છા નો ધોધ વરસ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.