મુળી ગંદકી બાબતે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન પર આપ નાં અજીતસિંહ પરમાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/czqkjbvqaau0ucff/" left="-10"]

મુળી ગંદકી બાબતે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન પર આપ નાં અજીતસિંહ પરમાર


*મુળી ગંદકી દૂર કરવાં બાબતે આપ નાં કાર્યકર મામલતદાર કચેરી સામે ઉપવાસ પર*

મુળી ના વાસાણીપા ખાતે છ મહિના પહેલા ભુગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં આવતાં બ્લોક ઉખાડી નાંખતા અને રસ્તાઓ ખોદી નાખી આડેધડ માટી રસ્તા પર જ નાખેલ હોય તેનાં કારણે વરસાદ માં કોઈ રાહદારીઓ ચાલી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે આ બાબતે રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે રહીશો માં રોષ ભભુકી ઉઠયો છે ત્યારે જાણીતા એકટવિસ્ટ અને આમ આદમી પાર્ટી નાં સંનિષ્ઠ કાર્યકર એવાં વડીલ અજીતસિંહ પરમાર આજે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માં આવે અને થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી આ રસ્તો સાફસુથરો કરવા માટે માટી હટાવી લ‌ઈ ને બ્લોક ફરી ફીટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે અજીતસિંહ પરમાર મુળી ના પુર્વ સરપંચ પદે રહી ચૂક્યા છે અને તેઓ એક લડાયક નેતા ની છાપ ધરાવે છે ત્યારે આ આંદોલન નું રણશિંગું ફુંકાતા અધિકારી ઓ માં દોડધામ મચી જવા પામી છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]