અગ્નિપથ યોજના હેઠળ લશ્કરી ભરતીની જાહેરાત             સાબરકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર દ્રારા જિલ્લાના યુવાનોને અગ્નિપથ યોજના હેઠળ - At This Time

અગ્નિપથ યોજના હેઠળ લશ્કરી ભરતીની જાહેરાત             સાબરકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર દ્રારા જિલ્લાના યુવાનોને અગ્નિપથ યોજના હેઠળ


અગ્નિપથ યોજના હેઠળ લશ્કરી ભરતીની જાહેરાત
    
       સાબરકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર દ્રારા જિલ્લાના યુવાનોને અગ્નિપથ યોજના હેઠળ લશ્કરી ભરતી કરવા માટે તા.૧૬/૦૨/૨૦૨૩ થી ૧૫/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજ્યના ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન www.joinindianarmy.nic.in ઉપલબ્ધ
રહેશે.
     અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ (ઈન્ડીયન આર્મી) માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરૂષ ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છતા હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ
પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ
સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો ઓનલાઇન અરજીમાં ભરવાની રહેશે.
      આ લેખિત પરીક્ષા આપવા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૫/૦૩/૨૦૨૩ છે.જ્યારે ઓનલાઇન પરીક્ષા(CEE) તારીખ ૧૭/૦૪/૨૦૨૩ થી શરૂ થનાર છે. આ ભરતીમાં જિલ્લાના ઓછામાં ઓછું ધો.૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ (બંને તારીખો સહિત) ની વચ્ચે જન્મેલા પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે. વધુ માહિતી મેળવવા માટે રૂબરૂમાં સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગરનો તેમજ રોજગાર સેતુ કોલ સેન્ટર (૬૩૫૭૩૯૦૩૯૦) પર
સંપર્ક કરવા સાબરકાંઠા જિલ્લા રોજગાર અધિકારીશ્રી હિંમતનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon