વીમા કંપનીએ covid – 19ના દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત ના હતી તેવું જણાવી દર્દીએ હોમકવોરનટાઈન થાય સારવાર લેવાની જરૂરત હતી તેવું કારણ જણાવી પોલીસીધારકનો રૂ.1,40,770 નકલેમ નકારતા ગ્રાહક સુરક્ષા કમિશન એ દર્દીને પૂરેપૂરી રકમ પરત આપવા સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા આદેશ કરેલ છે.
અમદાવાદના રહેવાસી સુખવાણી સુનિલકુમાર હીરાનંદે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફેમિલી હેલ્થ ઓપટીમા ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલ હતી. સમ. ઇન્સ્યોડૅ રૂ.3 લાખનો હતો. દર્દીને વર્ષ 2021 માં કોવિડ 19 હોવાથી પોલીસી ધારક દર્દી ડોક્ટરની સલાહ સૂચનથી હોસ્પિટલાઈઝડ થયેલ હતા. અને હોસ્પિટલ નું ખર્ચ રૂ.1,40,770 થયેલ હતુ. જેથી દર્દીએ હોસ્પિટલના ખર્ચની થયેલ રકમ મેળવવા કંપનીને ક્લેમ રજૂ કરેલ હતો. પરંતુ વીમા કંપનીએ ફરિયાદીના ક્લેમ નકારેલ અને લેખિતમાં જાણ કરેલ કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ થાય ટ્રીટમેન્ટ કરાવવાની જરૂરત ન હતી. દર્દી ઘરમાં જ હોમકવોરનટાઈન થાય સારવાર કરી શકતા હતા. પરંતુ તેમ ના કરતા વીમા કંપની હોસ્પિટલના ખર્ચ પોલિસી ધારકને નહીં આપી શકે.
Victim સુખવાણી સુનિલ કુમાર હીરાનંદ ને ન્યાય અપાવવા માટે ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિ ફાઉ. ના પ્રમુખ સુચીત્રા પાલ દ્વારા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્ય માં કંપની સામે કેસ દાખલ કરી નીચેની સત્ય હકીકતો કમિશન સમક્ષ દલીલ કરી ઉજાગર કરેલ.
તારીખ15-04-2021 ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ શહેરની નરોડા સ્થિત ન્યુ તુલીપ હોસ્પિટલ મેડિકલ એન્ડ સર્જીકલ માં તા.16-04-2021 થી તા.17-04-2021 સુધી એડમિટ થઈને ટ્રીટમેન્ટ લીધી હતી. ન્યુ તુલીપ હોસ્પિટલ મેડિકલ એન્ડ સર્જીકલ માં દર્દીને કેસ લેસ ની સુવિધા ના આપતા હોવાથી દર્દી પાસે હોસ્પિટલને ચૂકવવા ના નાણાં હાથ ઉપર ન હોવાથી કફોડિ પરિસ્થિતિમાં આવી જતા તારીખ 17 -4 -2021 ના રોજ રજા લઈ ઘરે આવેલ. પણ દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂરત હોવા છતાં કેશલેસના અભાવે ઘર આવતા દર્દીની તબિયત વધારે બગડતા બીજા દિવસે જો તારીખ18 -4 20021 ના રોજ ભરી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી. જેથી દર્દી અમદાવાદ ના કુબેર નગરના સિદ્ધિ હોસ્પિટલમાં એડમિટ થયેલ. તા.18-04- 2021થી તા.23-04-2021 સુધી સિદ્ધિ હોસ્પિટલમાં દર્દીની ટ્રીટમેન્ટ ચાલી હતી.
આ હકીકતોને જોતા ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્ય ના કમિશનના પ્રમુખ શ્રી એ. બી. પંચાલ તથા સભ્ય શ્રી ડો.એસ .આર. પંડયા તથા સભ્યશ્રી બી. જે. આચાર્ય ની બેન્ચ દ્વારા ફરિયાદને ન્યાય આપતો ચુકાદો આપતા દર્દીને હોસ્પિટલ ખર્ચ ની લેવા પાત્ર ₹1,40,180 ફરિયાદ દાખલ કર્યા તા.14-09-2022 થી 9 % વાર્ષિક વ્યાજ સાથે તથા માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચના રકમ અલગથી દિન 30 માં ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કરેલ છે.
સુચિત્રા પાલ . પ્રમુખ,
ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ - ગ્રાહક ક્રાંતિ ફાઉ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
