શિહોર તાલુકાના ટાણા મથકમાં રોગચાળા એ ભરડોલીધો બીજી બાજુ ટાણા ગામ આવેલ PHC માં સમયસર તબીબો ફરજ પર ન આવતા હોવાની સામે આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c2ps0moiildunkbn/" left="-10"]

શિહોર તાલુકાના ટાણા મથકમાં રોગચાળા એ ભરડોલીધો બીજી બાજુ ટાણા ગામ આવેલ PHC માં સમયસર તબીબો ફરજ પર ન આવતા હોવાની સામે આવ્યું


સિહોર પંથકમાં એક તરફ રોગચાળાએ ભરડો લીધો
બીજી બાજુ ટાણા ગામે આવેલ PHC માં સમયસર તબીબો ફરજ પર ન
આવતા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વિપક્ષી નેતા કરણસિંહે રોષ
પ્રગટ કર્યો છે સિહોર સાથે જિલ્લામાં શરદી-તાવ, ઉઘરસ,
ઝાડાઉલ્ટી સહિતની બિમારીઓમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે ખાનગી
દવાખાનાઓમાં પણ દર્દીઓની કતારો જોવા મળી રહી છે જેની વચ્ચે ટાણા
PHC માં ફરજ પરના તબીબની બેદરકારી સામે આવી છે ફરજ પર સમયસર
હાજર ન રહેતા હોવાથી લોકોમાં પ્રબળ રોષ વ્યાપ્યો છે સમગ્ર મામલે
વિપક્ષી નેતા કરણસિંહે કહ્યું હતું કે ટાણા ફરજ પરના ડોકટર સમયસર
હાજર રહેતા નથી જેથી આજુબાજુ ગામના દર્દીઓને કલાકો સુધી રાહ
જોઇને બેસી રહેવું પડે છે ફરજ પરના તબીબ બપોરના 12 કલાકે PHC સેન્ટર
ખાતે હાજર થાય છે ત્યાં સુધી અનેક દર્દીઓને હેરાનગતિ રહે છે આરોગ્ય
વિભાગ તાત્કાલિક યોગ્ય કરે તે માંગ કરણસિંહે કરી છે
કે ટાણા ગામની phc સેન્ટર માં ડોક્ટર વિનાનું ગાડું ચાલે છે જે ડોક્ટર મૂક્યા
છે તો તેમની પાસે સમય નથી તેઓનું કહેવું છે કે આજે હું ટાણા phદ સેન્ટર
ની મુલાકાતે ગયેલા તો દૂર દૂર ગામડામાંથી આવેલ ૩૫થી ૪૦ દર્દીઓ ડોક્ટર
સાહેબ ની રાહ માં બેઠા હતા હાલમાં શિયાળાની બેવડી ઋતુનું વાતાવરણ
છે હોય ત્યા ડોક્ટર વિનાનું દવાખાનું હતું. ફરજ પરના સ્ટાફ ને ડોક્ટર
ને
સાહેબ વિશે પૂછતાં સ્ટાફ દ્વારા જણાવેલ કે સાહેબ આવતા હશે ત્યાર બાદ
તાલુકા ઓફિસર સાથે ટેલીફોનીક વાત થી જણાવેલ હતુ. રીપોર્ટ અશોકભાઈ ઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]