સુરત આશીર્વાદ માનવ મંદિર ને બારડોલી સાંસદ પ્રભુ વસાવા વિકાસ યોજના નિધિ થી એમ્બ્યુલન્સ સેવા અર્થે ૧૨ લાખ નું અનુદાન - At This Time

સુરત આશીર્વાદ માનવ મંદિર ને બારડોલી સાંસદ પ્રભુ વસાવા વિકાસ યોજના નિધિ થી એમ્બ્યુલન્સ સેવા અર્થે ૧૨ લાખ નું અનુદાન


સુરત આશીર્વાદ માનવ મંદિર ને બારડોલી સાંસદ પ્રભુ વસાવા વિકાસ યોજના નિધિ થી એમ્બ્યુલન્સ સેવા અર્થે ૧૨ લાખ નું અનુદાન

સુરત કામરેજ ચાર રસ્તા કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર સેવાકીય પ્રવૃત્તિની જ્યોત ઝળહળાવી રહેલ સંસ્થા ને સાંસદ પ્રભુ વસાવા ની ગ્રાન્ટ માંથી ૧૨ લાખ ની સહાય અતિ ગંભીર મનોદિવ્યાંગો બિન વારસી,બહેરા,મૂંગા અપંગ,અસહાય માનસિક રીતે બીમાર મનોદિવ્યાંગો ને રહેવા જમવા આરોગ્ય સહિતનું આશ્રય સ્થાન બની રહ્યું છે.દેશના જુદા જુદા રાજ્યો માંથી આવતા આશ્રિતો તેમાં આશરો લઈ રહ્યા અત્યાર સુધી માં ૨૪૫૦ મનોદિવ્યાંગો ને સમાજ માં પુનઃ સ્થાપિત કરી કુદરત સહજ જીવન તરફ દોરી જતી સંસ્થા ની માનવ સેવા થી પ્રભાવિત થઈ બારડોલી સાંસદ શ્રી પ્રભુ વસાવા એ આશીર્વાદ માનવ મંદિર આશ્રમ સુરત ને બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાની વિકાસ યોજના નિધી માંથી એમ્બ્યુલન્સ માટે રૂ.12 લાખ ફાળવવામાં આવ્યા છે આવી માનવીય સંવેદના દર્શાવતા બારડોલી સાંસદ પ્રભુ વસાવા પ્રત્યે શહેર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ના અગ્રણી ઓ દ્વારા આભાર પ્રગટ કરી અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon