બોટાદના ગઢડા રોડ ગુરુકુળ ખાતે શ્રીજી આનંદ ડેવલોપસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. - At This Time

બોટાદના ગઢડા રોડ ગુરુકુળ ખાતે શ્રીજી આનંદ ડેવલોપસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.


બોટાદના ગઢડા રોડ ગુરુકુળ ખાતે શ્રીજી આનંદ ડેવલોપસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

બોટાદ ખાતે 15મી ઓગસ્ટના દિવસે 2075 ફૂટ તિરંગા સાથે ભવ્ય યાત્રા

બોટાદ શહેરમાં શ્રીજી આનંદ ડેવલોપર્સ દ્વારા 15 મી ઓગસ્ટના દિવસે સવારે 9:00 કલાકે 2075 ફૂટ તિરંગા યાત્રામાં તમામ રાજકીય આગેવાનો,પોલિટિક્સ પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના કર્મચારીઓ અને પોલીસ પ્રશાસન તથા અધિકારીઓ ને બોટાદ શહેરની જાહેર જનતાને આ તિરંગા યાત્રામાં જોડાવા શ્રીજી આનંદ ડેવલોપર્સ દ્વારા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું.

આઝાદી કા અમૃત મહોત્સવ 2022 અંતર્ગત

આઝાદી ના 75 વર્ષે હર ઘર તિરંગા અભિયાન ના ભાગ રૂપે 15 ની ઓગસ્ટ ના દિવસે બોટાદ માં નીકળશે 2075 ફૂટ ના તિરંગા સાથે ની યાત્રા.

બોટાદમાં પહેલી વખત તમામ રાજકીય પક્ષો આગેવાનો,સર્વે જ્ઞાતિ ના આગેવાનો,સામજિક સંસ્થાઓના આગેવાનો, એસોસિયશનના આગેવાનો ભેગા જોડાશે જેમાં *શ્રીજી આનંદ ડેવલોપર્સ* ના સહકાર અને સહયોગ થી ગુજરાત ની મોટા માં મોટી સફળતા પૂર્વક બોટાદ શહેર માં નીકળશે ત્રિરંગા યાત્રા અને નોંધાશે ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડ...

જેની માહિતી શ્રીજી આનંદ ડેવલોપર્સ દ્વારા જણાવેલ છે.

તિરંગા યાત્રામાં તમામ લોકોને જોડાવા શ્રીજી આનંદ ડેવલોપર્સ દ્વારા અનુરોધ કરાયો છે.જેથી કરી ગુજરાત રાજ્ય અને આખા ભારતમાં બોટાદ જિલ્લામાં વિશાળ રેલી અને તિરંગા સાથે કંઇક અલગ રીતે જ અનોખા દ્રશ્ય જોવા મળશે...

રિપોર્ટ, અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon