પત્રકાર આલમના કલમવિરની ફાની દુનિયાને અલવિદા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તિક ઉપાધ્યાયનું નિધન
પત્રકાર આલમના કલમવિરની ફાની દુનિયાને અલવિદા
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તિક ઉપાધ્યાયનું નિધન
47 વર્ષથી અવિરતપણે લોક પ્રશ્નોને વાચા આપનાર સાંધ્ય દૈનિક સોરાષ્ટ્ર ભૂમિના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કાર્તિકભાઈ ઉપાધ્યાયનું આજે નિધન થતાં પત્રકાર આલમમાં ગમગીનની છવાઈ ગઈ છે. 30/01 કાર્તિકભાઈનો જન્મ દિવસ જ એમની જીંદગીનો આખરી દિવસ પણ રહ્યો. આખબારી આલમના ભિષ્મપિતામહ 62 વર્ષે ફાની દુનિયા છોડી ગયા. હંમેશા નિડરતા થી અને કોઈ પણ પરિણામની પર્વા કર્યા વિના બેબાક રીતે પોતાનો પત્રકારત્વનો ધર્મ નિભાવી દાયકાઓ સુધી કલમની તાકાતથી તેઓ લોક પ્રશ્નોને ઉપાડતા હતા. મારા જેવા પત્રકારને પાયાના પાઠ ભણાવનારા મારા ગુરૂ દાયકાઓ સુધી હ્દયમાં જીવિત રહેશે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.
રિપોર્ટર યુસુફ ચુડલી માંગરોળ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]