ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેના પુત્રનો ગિરિરાજસિંહ વાળા પર પાઈપથી હુમલો - At This Time

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેના પુત્રનો ગિરિરાજસિંહ વાળા પર પાઈપથી હુમલો


રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર ચર્ચામાં આવ્યાં છે અને આ વખતે ઘરમાં જ ડખ્ખો થયાનું સામે આવ્યું છે. ગઈ મોડી રાતે પદ્મિનીબા વાળા અને તેના પુત્રએ તેમના પતિ ગિરિરાજસિંહ વાળા પર પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો.
બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ ગિરિરાજસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે પોલીસે મૌન ધારણ કરી લીધું હતું અને મામલે થાળે પડી ગયાની વાતનું રટણ કર્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, રેલનગરમાં આવેલ રામેશ્વર પાર્ક-5 માં રહેતાં ગિરિરાજસિંહ અનિરૂદ્ધસિંહ વાળા (ઉ.વ.47) ગઈ રાતે પોતાના ઘરે હતાં ત્યારે રાત્રે 1 વાગ્યાની આસપાસ તેમના પત્ની અને ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબ વાળા તેમજ પુત્ર સત્યજીતસિંહ પાઈપ સાથે ઘસી આવ્યાં હતા અને કોઈ કારણોસર ઝઘડો કરી ગિરિરાજસિંહ પર પાઈપથી હુમલો કરી ફટકાર્યા હતાં.
બનાવમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું.
જો કે, પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હોવાની વાત કરી હતી. તેમજ ઈજાગ્રસ્ત ગીરીરાજસિંહ પણ મોડી રાતે ટૂંકી સારવાર લઈ હોસ્પિટલમાંથી રજા લઈ નીકળી ગયાં હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.