ભાજપ અને JDUનું ગઠબંધન તૂટ્યું, નીતિશ કુમારે સીએમ પદ પરથી આપ્યું રાજીનામું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bjp-jdu-alliance-breaks-nitish-kumar-resigns-as-cm/" left="-10"]

ભાજપ અને JDUનું ગઠબંધન તૂટ્યું, નીતિશ કુમારે સીએમ પદ પરથી આપ્યું રાજીનામું


બિહારમાં ભાજપ અને JDUનું ગઠબંધન તૂટી ગયું છે. CM નીતિશ સાંજે 4 કલાકે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળશે. ત્યારે આજે યોજાયેલી જેડીયુની બેઠકમાં, પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. તેણે કહ્યું કે, તે જે પણ નિર્ણય લેશે તે હંમેશા તેની સાથે રહેશે. ત્યારે આ દરમ્યાન નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલને મળ્યા અને તેમનું રાજીનામું સોંપ્યું. બિહારના રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યા બાદ જેડી(યુ)ના નેતા નીતિશ કુમારે કહ્યું કે, અમારા તમામ સાંસદો અને ધારાસભ્યો વચ્ચે એ વાત પર સહમતિ છે કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા.બિહાર બીજેપી કોર ગ્રૂપ મંગળવારે સાંજે રાજ્યમાં ઉભરી રહેલી રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક કરશે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બંને નાયબ મુખ્યમંત્રીઓ, પૂર્વ પ્રદેશ પક્ષના પ્રમુખો અને અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી, કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજ સિંહ અને અશ્વિની ચૌબે અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ બેઠકમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાની પટનાથી રવાના થયા છે.કેન્દ્રીય મંત્રી આર.કે.એ જણાવ્યું કે, RJDના 15 વર્ષના શાસને રાજ્યને પાછળ લઈ ગયું હતું, સીએમ નીતીશ કુમાર પણ ઘણી વખત કહી ચૂક્યા છે. તેમણે ભ્રષ્ટ ગણાવેલા RJD સાથે ગઠબંધનને કેવી રીતે યોગ્ય ઠેરવશે? આ બધું સત્તા માટેનું રાજકારણ છે, તેમાં કોઈ નૈતિકતા નથી અને તેમને શરમ આવવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]