ચોટીલા આણંદપુર ચોકડી પાસે કારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. - At This Time

ચોટીલા આણંદપુર ચોકડી પાસે કારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.


ચોટીલા આણંદપુર ચોકડી પાસે કારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હાઈવે પર ઉભેલી કારમાં યુવકની લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. કારની તપાસ કરતા લાશ દુર્ગંધ મારતી હોવાનું જણાઈ આવ્યું છે કારમાંથી 25 વર્ષના યુવાનની લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામી હતી યુવાનની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારનો કબજો લઈ મૃતક યુવકની લાશને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.જયા પોસ્ટમોર્ટમ કરાવી ફોરેન્સિક પી.એમ.માટે રાજકોટ મોકલી આપી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કેશોદના ડૉ.રહેમત નુરઅલી (બી.એચ.એમ.એસ) હોવાનું જાણવા મળ્યું છે યુવકનું મોત કેવી રીતે થયું? આપઘાત છે કે અન્ય કોઈ કારણ.? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon