સેલફોસની ગોળીઓ ખાઈ લેતાં મોત પારિવારિક ઝગડાએ કારણે આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ - At This Time

સેલફોસની ગોળીઓ ખાઈ લેતાં મોત પારિવારિક ઝગડાએ કારણે આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ


મહીસાગર જિલ્લાના વરધરી ગામમાં રહેતા અને દુકાન ચલાવતા આશિષ જશુભાઇ પટેલ નામના ૪૦ વર્ષીય આશાસ્પદ યુવાને અચાનક સેલ્ફોસની ગોળીઓ ખાઈ લઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.જોકે સમગ્ર મામલામાં યુવાનને આત્મહત્યા કેમ કરવી પ ૐ તેવા સવાલો ઉઠી રહ્યા છે.જોકે કોઠંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે અંદરખાનેથી જાણવા મળ્યા મુજબ વરાધરી ગામમાં રહેતા આશિષ જશુભાઇ પટેલ નામના યુવાનનો પારિવારિક ઝગડાએ ભોગ લીધો હતો.શનિવારે એવું તો શું બન્યું કે યુવાને ઝેરી ગોળીઓ ખાઈ લીધી. તે સવાલ પોલીસને પણ મૂંઝવી રહ્યો છે. આ બાબતની તપાસ હાથ ધરવામાં આવશે તો યુવાનના મોત માટે કોણ જવાબદાર છે તે બહાર આવી શકે છે. કારણ કે નિયમિત ધંધો રોજગાર કરતા યુવાનને એવું શું થયું કે અચાનક આત્મહત્યા કરવાની ફરજ પડી તે સવાલ આખા ગામમાં ચર્ચાઇ રહ્યા છે. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ પારિવારિક કલેહ અને નાણાંકીય બાબતની મગજમારીને લીધે આશાસ્પદ યુવાને ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી.ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવે તો યુવાનના શંકાસ્પદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ જોવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon