નીલગાય એક રિક્ષા સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું. - At This Time

નીલગાય એક રિક્ષા સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું.


આજ રોજ સુરાસામાળ અને શિનોર વચ્ચે નીલગાય એક રિક્ષા સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું જ્યારે અન્ય લોકોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા વડોદરા જિલ્લા નાં શિનોર તાલુકા માં અવાર નવાર વાહનો સાથે નીલગાય અથડાવાના બનાવો બનતા હોય છે . આજરોજ સાધલી થી શિનોર જવામાં મુખ્ય માર્ગ પર સુરાસામાળ અને શિનોર વચ્ચે અચાનક આવેલ નીલગાએ રીક્ષા ને અડફેટે લેતા રિક્ષા રોડની બાજુમાં પલ્ટી ખાઈ ગઈ હતી . રીક્ષા સાધલી તરફ થી શિનોર તરફ હતી હતી જે રિક્ષા માં અંદાજિત સવાર બે મહિલા સહિત 5 વ્યક્તિ સવાર હતા . સુરાસામળ થી નીકળેલી રિક્ષાને શિનોર આવતા પહેલાજ નિલગાય અચાનક દોડીજતા , રોડ પર ચાલતી રીક્ષા ને રોડ બાજુમાં આવેલા બાવળ ના વૃક્ષ ની બાજુ માં પલ્ટી ખાઈ ગઈ હતી . આ અકસ્માત માં સુરાસામળ ગામ ના રોહિત મથુરભાઈ દેવજીભાઈ નામના અંદાજી 55 ના આદેધ વ્યક્તિ નું સ્થળ પર મોત નિપજ્યું હતુ.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon