હિંમતનગર ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે - At This Time

હિંમતનગર ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે


*હિંમતનગર ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે*
************************

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે.

આગામી તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના સોમવારે સવારે ૦૯:૦૦ કલાકે ડૉ. નલીનકાંત ગાંધી ટાઉનહોલ, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ કરશનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાશે.એમ રોજગાર અધિકારી(જનરલ) હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon