ડભોઈમા પરિણીતાને છેડતી કરવાના બનાવમાં આરોપીને જેલના સળીયા પાછળ ધકેલતી ડભોઇ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aux5flp0zfpjrusd/" left="-10"]

ડભોઈમા પરિણીતાને છેડતી કરવાના બનાવમાં આરોપીને જેલના સળીયા પાછળ ધકેલતી ડભોઇ પોલીસ


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ ગોવિંદપાર્ક 2 માં રહેતી એક પરિણીતા કે, જેઓના લગ્ન થોડાક સમય પહેલા વડોદરા થયા હતાં. પરંતુ કોઇક કારણસર તે પોતાના પીયર ડભોઇ ખાતે રહેવા માટે આવી હતી. ત્યારે પોતાની જ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ જે પોતાની સોસાયટીમાં રહેતી આ પરણીતાને જ્યારે તે પોતાના પિતાને ઘરે રહેવા આવતી હતી ત્યારે તેને બિભત્સ ઈશારા અને અશ્લિલ હરકતો કરતો અને હેરાન પરેશાન કરતો હતો. જેથી પરણીતા પિયરમાં આવે તો ધરની બહાર પગ મુકતા ગભરાતી હતી છેલ્લે તો આ ઈસમ ફોન ઉપર પરણીતાને તારુ લગ્ન જીવન ખરાબ કરી નાંખીશ એવી અવારનવાર ધમકીઓ પણ આપતો હતો. જેથી આ બાબતથી કંટાળી જઈને પરણીતાએ પોતાના પતિ અને માતા-પિતાને આ ઘટના અંગે વાત કરતાં ધરના સભ્યોએ પરણીતાને હિંમત આપી હતી. જેથી ન્યાય મેળવવા આ ઈસમ વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ડભોઇના પી.આઇ. એસ.જે. વાધેલાએ આ પૃથ્વીરાજ ચૌહાણસિહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તેને જેલનાં સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ ખાણખનીજમાં મસ્ટર ઉપર સર્વેયર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમની આવી હરકતોથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]