( ડભોઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ દ્વારા ) " શ્રી ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનતેરસે ધનવંતરી પૂજન કાર્યક્રમ યોજાયો " - At This Time

( ડભોઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ દ્વારા ) ” શ્રી ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનતેરસે ધનવંતરી પૂજન કાર્યક્રમ યોજાયો “


( રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ)

દેવ ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અંશાવતાર છે
દેવ ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અંશાવતાર છે ધન્વંતરિને દેવ સ્થાન મળે એટલા માટે વિષ્ણુએ વરદાન આપ્યું હતું દ્વાપર યુગમાં બીજો જન્મ લેવો પડ્યો હતો. ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી હતી અને આયુર્વેદાચાર્ય તરીકે ખ્યાતિ મેળવી હતી. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં ધન્વંતરિને પણ દેવતા માનવામાં આવ્યા છે, અને પુરાણો અનુસાર ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. તેમની પૂજા કરવાથી માણસનું સ્વાસ્થ્ય સારું બન્યું રહે છે, અને રોગોથી રક્ષણ થાય છે. શાસ્ત્રોમાં ધન્વંતરિના બે જન્મોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમનેશ્રી હરિ વિષ્ણુના પ્રથમ અંશ પણ માનવામાં આવે છે.

સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા
પૌરાણિક કથાઓમાં ધન્વંતરિનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે, ધન્વંતરિનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો. પ્રચલિત કથા અનુસાર આસો વદ તેરસના દિવસે સમુદ્ર મંથનમાં તે અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. અમૃત કળશથી દેવતાઓએ અમૃત પાન કર્યું હતું. જેથી તેઓ અમર થઈ ગયા હતા.

ધનવંતરીને દેવતા માનવામાં આવ્યાં નહીં
સમુદ્રમાંથી બહાર આવતા જ ધન્વંતરિએ દેવતાઓને સવાલ કરતા પૂછ્યું હતું કે, આ લોકમાં મારુ શું કામ છે અને સ્થાન કયું છે ? ધન્વંતરિના આ સવાલનો જવાબ આપતા ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે, તમને ધન્વંતરિ પ્રથમના નામથી ઓળખવામાં આવશે. તમે દેવતાઓ પછી ઉત્પન્ન થયા છો, એટલા માટે તમને દેવ માનવામાં આવશે નહીં. જોકે તમારો ફરીથી જન્મ થશે ત્યારે તમને દેવનું સ્થાન આપવામાં આવશે.

કાશીપતિ ધન્વને ત્યાં જન્મ લીધો
ધન્વંતરિ દેવે દ્વાપર યુગમાં ફરીથી જન્મ લીધો. આ કથા અનુસાર કાશીપતિ ધન્વને સંતાન ન હતું. સંતાન ન હોવાથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવજીએ તેમને પુત્રનું વરદાન આપ્યું અને તેમને ત્યાં પુત્રના રૂપમાં ધન્વંતરિ જન્મ્યા. ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી હતી જેથી તેઓને આયુર્વેદાચાર્ય તરીકે નુ બિરૂદ પામ્યા હતાં.
દરેક પ્રકારના રોગોમાંથી મુક્તિ માટે ધનવંતરી મંત્ર
“ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये: अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय। त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप श्री धनवन्तरि स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥”

ડભોઈ ખાતે ધનવંતરી પૂજન કાર્યક્રમ

આજરોજ ડભોઈ નગર અને તાલુકામાં કાર્યરત ડભોઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ સંચાલિત ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ડભોઈ ખાતે ટ્રસ્ટી મંડળના પ્રમુખ નિરંજનભાઈ વૈધ, ઉપપ્રમુખ એમ.કે.શાહની પ્રેરણા, શુભેચ્છાઓ અને સહકારથી સંસ્થાના મુખ્યમંત્રી ગોપાલભાઈ એસ. શાહ ( તણખલાવાળા), સહમંત્રી કાન્તિભાઈ સી. સોલંકીની, અરવિંદભાઈ બી. પટેલ, પૂર્ણિમાબેન દવે વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સહમંત્રી બાબુભાઈ જે. શાહ ઉર્ફે છેલા બાબુએ પંડિતની હાજરીમાં પૂજાવિધિમાં બેસી ભગવાન ધનવંતરીની પૂજા કરી હતી અને ડભોઈ નગર અને તાલુકાનાં નાગરિકોનું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી આ ધાર્મિક પૂજા સંપન્ન કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon