દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો - At This Time

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો


દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો

દામનગર શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
પૂજ્ય સ્વામી શ્રી વિષ્ણુચરણદાસજી કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી ની પાવન નિશ્રા માં નિવૃત આઈ પી એસ હરેકૃષ્ણભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં યોગ સંવાદ યોજાયો વિશાળ સંખ્યામાં સ્કૂલ કોલેઝ ના છાત્રો ને યોગ ની મહતા વિશે અવગત કરતા શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપદાસજી એ અધ્યાત્મ સાથે યોગ થી આરોગ્ય નું ઋષિપરંપરા વિશે મનનીય માર્ગદર્શન આપ્યું યોગ ના ફાયદા ઓ પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય જીવન નિરામય આરોગ્ય અંગે સર્વ ને અવગત કર્યા હતા કરો યોગ રહો નિરોગી ના સુંદર સદેશ સાથે યોગ સંવાદ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુરૂકુળ શાળા કોલેઝ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon