રામપુરા ખેરાલુનાં જીતેન્દ્રભાઈ ચૌધરીને અમદાવાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક થી સન્માનિત કરાયા - At This Time

રામપુરા ખેરાલુનાં જીતેન્દ્રભાઈ ચૌધરીને અમદાવાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક થી સન્માનિત કરાયા


આજરોજ અમદાવાદ એસ.એન.બ્લ્યુ હોટેલ ખાતે મહેસાણા જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વત રત્નોને સન્માનવા માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાઈ ગયેલ. જેમાં મહેસાણાની રામપુરા પ્રા શાળા તા ખેરાલુ નાં શિક્ષક ચૌધરી જીતેન્દ્રકુમારનુ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી એમ.પી. મહેતા,સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન,શ્રી એમ.કે રાવલ સાહેબ નિયામકશ્રી GSEHB અને GIET ગાંધીનગર તેમજ ભાસ્કરભાઈ ઠાકર,તુષારભાઈ મહેતા મદદનીશ સચિવ ગુ.મા. શિ.બોર્ડ વગેરે ઉપસ્થિત રહી ને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન પત્ર આપી બિરદાવ્યા હતા. શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના પ્રમુખશ્રી નરેશભાઈ દવે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ છે. આ કાર્યક્રમમાં શિક્ષણવિદશ્રી ગજેન્દ્રભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon