ગઢડા (સ્વામીના) ખાતે યશરાજ લાઠીગરા (ગોપાલભાઈ) એ જન્મદિવસની ઉજવણી બાળકોનાં ચહેરા પર સ્મિત લહેરાવી ને કરી. - At This Time

ગઢડા (સ્વામીના) ખાતે યશરાજ લાઠીગરા (ગોપાલભાઈ) એ જન્મદિવસની ઉજવણી બાળકોનાં ચહેરા પર સ્મિત લહેરાવી ને કરી.


બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) ખાતે રહી પત્રકારત્વ ક્ષેત્ર જોડાયેલા તેમજ આઈટીઆઈના પૂર્વ તાલીમાર્થી તેમજ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા યશરાજ લાઠીગરા (ગોપાલભાઈ) પોતાના જન્મદિવસ નિમિત્તે આજરોજ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કર્યું હતું. ગઢડાના વિવિધ પછાત વિસ્તારોમાં રહેતા ગરીબ બાળકોને તેમજ ગઢડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે બિસ્કીટ,ચોકલેટ વહેંચી નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત લાવી પોતાના જન્મદિવસની એક પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon