સી. આર. પાટીલ સાહેબે મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ યોજી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/acftiapj17tphejf/" left="-10"]

સી. આર. પાટીલ સાહેબે મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ યોજી.


વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ યોજી. મોડાસા તાલુકાના તમામ પત્રકારો આ કોન્ફરન્સ માં ઊપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે. છેવાળાના માનવી સુધી પહોંચી પ્રશ્નોનું નિરાકરણ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. ભાજપનું અરવલ્લીનું જિલ્લાનું સંગઠન, પેજ કમિટીની રચના વગેરે જોતા અરવલ્લી જિલ્લાની ત્રણેય વિધાનસભાની બેઠકો ભાજપ જીતશે. અરવલ્લી જિલ્લાના પત્રકાર મિત્રોએ નરેશભાઈ વિશે પ્રશ્ન પૂછતાં જણાવ્યું કે નરેશભાઈ એ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાશે નહીં એવો એમનો મત છે. પત્રકારોના બીજા એક પ્રશ્ન પર જવાબ આપતાં જણાવ્યું કે ભાજપ વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માટે કોઈ માગણી કરી નથી. વિધાનસભાનીચૂંટણી સમયસર યોજાશે તેવું જણાવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા,અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]