અગ્નિપથના વિરોધમાં અસામાજિક તત્વોનું સરકાર વિરુદ્ધ ભારત બંધના એલાનનું ગુજરામાં સુરસુરિયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a88hnkebc1siyuw7/" left="-10"]

અગ્નિપથના વિરોધમાં અસામાજિક તત્વોનું સરકાર વિરુદ્ધ ભારત બંધના એલાનનું ગુજરામાં સુરસુરિયું.


ગુજરાત અને ગુજરાતીઓ ની વાત, ઓળખ અને અંદાજ કઈંક અલગ હશે હંમેશા અને એ આજે અન્ય રાજ્યની તુલનામાં દુનિયા અને કેન્દ્ર સરકારે જોઈ પણ લીધું અને ગુજરાત સરકાર અને ગુજરાત ની શાંતિ પ્રિય જાનતા એ સાબિત કર્યું ભારત બંધમાં ના જોડાઈ ને ,

કેન્દ્ર સરકાર ની અગ્નિપથના વિરોધમાં આજ રોજ ભારત બંધના જાહેરાત આજ રોજ ભારત બંધના એલાન અને ઉત્તર પ્રદેશ, બિહાર અને દેશના અન્ય રાજ્યમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિ અને રેલ્વે વિભાગને રેલ રોકી, ટ્રેનોમાં આગની ઘટનાને અંજામ આપી કરોડો રૂપિયાનું નુકસાન કરતાં ભારત બંધના એલાન અને અન્ય રાજ્યની વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આવનાર દિવસોમાં રથયાત્રાની તૈયારીમાં સુરક્ષા હેતુ સર ગુજરાત સરકાર તરફથી ગૃહ વિભાગ, R'DGP આશિષ ભાટિયા સાહેબની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભારત બંધના એલાન હેઠળ ગુજરાતમાં કોઈ પણ જાહેર જાનતાની કે જાન - માલની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેપિડ એકશન ફોર્સ (RAF) ની ટુકડીઓ, ગુજરાત પોલીસ વિભાગ પશ્ચિમ રેલ્વે વિભાગ, રેલ્વે અમદાવાદ ડિવિઝન તમામ ના સંકલન દ્વારા છેલ્લા બે - ત્રણ દિવસની અન્ય રાજ્યની પરિસ્થિતિ તણાવ પૂર્ણ જણાતા આજ રોજ ગુજરાતના દરેક રેલ્વે સ્ટેશન ઉપર ગુજરાત પોલીસ, રેલ્વે પોલીસ (G R P) તથા રેલ્વે પ્રોટેકશન ફોર્સ (R P F) ને ઍલર્ટ રહેવા સૂચના સાથે ગુજરાતના તમામ રેલ્વે સ્ટેશનો ઉપર ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો,

ઉપરોકત ફોટો અમદાવાદના મણિનગર પોલીસ રેલ્વે સ્ટેશન અને રેલ્વે ક્રોસિંગ પાસે દિવસ દરમિયાન બંદોબસ્ત જોવા મળ્યો હતો તે સમયનો છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]