દાહોદના નિશ્રા વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

દાહોદના નિશ્રા વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી.


દાહોદ : દાહોદ શહેરી વિસ્તારમાં આવેલ શાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નિશ્રા વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વયો વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જે દરમ્યાન વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોનું ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન માટે મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ તેઓને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં UHWC ના મેડીકલ ઓફિસરશ્રી, RBSK ટીમ, CHO, લેબટેક તેમજ ફાર્માસિસ્ટ હાજર રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.