સોરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના ના શીવાલય માં નવનિયુક્ત ટ્રસ્ટ ની નીમણુંક કરવામાં આવી તેના તમામ ટ્રસ્ટી ઓનું સન્માન સમારોહ કાયૅક્રમ યોજાયો - At This Time

સોરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના ના શીવાલય માં નવનિયુક્ત ટ્રસ્ટ ની નીમણુંક કરવામાં આવી તેના તમામ ટ્રસ્ટી ઓનું સન્માન સમારોહ કાયૅક્રમ યોજાયો


જસદણ તાલુકાના અને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર માં સરકાર દ્વારા ટ્રસ્ટ ની નીમણુંક કરવામાં આવી છે. તેમાં રાજકોટ કલેક્ટર અને જસદણ મામલતદાર અને સ્થાનીક ધારાસભ્ય અને ટ્રસ્ટી ની નીમણુંક કરવામાં આવી છે એ અનુસંધાને ટ્રસ્ટી રાજુભાઇ જોષી દ્વારા સોમનાથ જીન ખાતે તમામ ટ્રસ્ટી ઓનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. આ સન્માન સમારોહ જસદણ ના અને ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો. અને આ કાયૅક્રમ માં તમામ સમાજ ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ટ્રસ્ટી રાજુભાઇ જોષી નું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. અને આ સન્માન સમારોહ માં જસદણ રાજવી પરિવારના સત્યજીત કુમાર ખાચર અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં દરેક સમાજ ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને સન્માન સમારોહ યોજાયો હતો. અને આ સન્માન સમારોહનું આયોજન ઘેલા સોમનાથ મંદિર ના નવનિયુક્ત ટ્રસ્ટી રાજુભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.