ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે છોટાઉદેપુર કલેક્ટર શ્રી અનિલ ધામલીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ - At This Time

ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે છોટાઉદેપુર કલેક્ટર શ્રી અનિલ ધામલીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે છોટાઉદેપુર કલેક્ટર શ્રી અનિલ ધામલીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
----
ગરીબ કલ્યાણ મેળા ને સફળ બનાવવા માટે કલેક્ટર શ્રી એ સંલગ્ન અધિકારીશ્રીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા

છોટાઉદેપુર,બુધવાર: આગામી તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર શ્રી અનિલ ધામેલીયા એ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજીને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી
બેઠકમાં કલેકટરશ્રીએ વિવિધ વિભાગના લાભાર્થીઓને સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તેમજ અનેકવિધ સ્ટોલ્સ થકી લોકોને સરકારની પ્રજાહિતમાં અમલી વિવિધ અસરકારક યોજનાઓની માહિતી મળી રહે તે માટે અસરકારક આયોજન કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપ્યા હતા. સાથો સાથ કલેક્ટરશ્રીએ ગરીબ કલ્યાણ મેળાની ઉજવણી પ્રસંગે સભા મંડપમાં બેઠક વ્યવસ્થાઓ, ટ્રાફિક નિયમન, પાર્કિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સહિતની અનેકવિધ વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા થકી વંચિત લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.