બોટાદમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જાયું, એક યુવાનનું કરુણ મોત, પોલીસ કાફલો ઘટના સ્થળે - At This Time

બોટાદમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જાયું, એક યુવાનનું કરુણ મોત, પોલીસ કાફલો ઘટના સ્થળે


બોટાદમાં નાગલપર દરવાજા પાસે અકસ્માત સર્જાયું, એક યુવાનનું કરુણ મોત, પોલીસ કાફલો ઘટના સ્થળે

બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને વરમવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.