જૂનાગઢ પોલીસે શહેરના અરજદારને વ્યાજ ની ચુગલ માંથી છોડાવી જિંદગી બચાવી - At This Time

જૂનાગઢ પોલીસે શહેરના અરજદારને વ્યાજ ની ચુગલ માંથી છોડાવી જિંદગી બચાવી


જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા અને સેલ્સમેન તરીકે પોતાનું ગુજરાન ચલાવતા, એક યુવક પોતાના પિતા સાથે રોકકળ કરતા, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતાના માતાની કોરોનાની બીમારીની સારવાર માટે એક ઓળખીતા વ્યક્તિઓ પાસેથી બે લાખ જેટલી રકમ વ્યાજે લીધેલ હતી, વ્યાજખોરોને અત્યાર સુધી વ્યાજ ચૂકવતા, મુદ્દલ રકમ કરતા વધારે રૂપિયા અઢી લાખ જેટલું વ્યાજ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો હજુ પણ મુદ્દલ બે લાખ આપો પછી, બધું પૂરું થવાનું જણાવી, ઘરે આવીને બેસી જતા તેમજ પોતાને રસ્તામાંથી અપહરણ કરી, રૂપિયા આપી દેવા દબાણ કરતા અને રૂપિયા ના હોય તો દવા પી જા...એવા શબ્દો બોલી, મારું કોઈ કાઈ નહિ બગાડી લેએવું જણાવી, ધમકી આપી, સાંજે છ વાગ્યા સુધી રૂપિયા આપવા ધમકી આપતા હોઈ, આ વ્યાજખોરો ઘરે અવારનવાર જઈને કોઈ કામ કરવા દેતા નથી અને કલાકો બેસાડી રાખતા હોઈ, ઘરે મહિલા સભ્યોને પણ રૂપિયા આપી દેવા દબાણ કરી, ધમકીઓ આપતા, અરજદાર અને તેના કુટુંબીજનો પાસે કોઈ રસ્તો ના હોઈજૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું અને પોતાના પિતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતીઆપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફના હે.કો. ધાનીબેન, નીતિનભાઈ, વનરાજસિંહ, મુકેશભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યાજખોરોને બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએએવુ ફોન ઉપર શાનમાં સમજાવતા, વ્યાજખોરોને પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદારને આગેવાનો પાસે રૂબરૂ બોલાવી, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ વ્યાજ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને મદદ કરવા બદલ, પોતાના પિતા સાથે રૂબરૂ મળી, જૂનાગઢ પોલીસનો આભારવ્યક્ત કર્યો હતો. અરજદાર દ્વારા ખુશ થઈને જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અરજદારને હવે પછી આવા લોકો પાસેથી બિન જરૂરી રૂપિયા નહીં લેવા અને પોતાના કુટુંબને મુશ્કેલીમાં નહીં મુકવા સલાહ આપી હતી_

હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીદ્વારા લોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરી નો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વનિભાવી, અરજદારની જિંદગી બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon