રોજગાર યાત્રા રાધનપુર ખાતે આવી પહોંચી.યુરાજસિંહ જાડેજા ના ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર - At This Time

રોજગાર યાત્રા રાધનપુર ખાતે આવી પહોંચી.યુરાજસિંહ જાડેજા ના ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર


રાધનપુર વિધાનસભામાં તા.૪-૯-૨૦૨૨ ના દિવસે આમ આદમી પાર્ટી ની રોજગાર યાત્રા રાધનપુર ખાતે પહોંચેલ જેમાં વિધાર્થી નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા પધાર્યા હતાં. ત્યાં તેમણે ગાયત્રી મંદિરે દર્શન કરીને ત્યાંથી રેલી કાઢી પિંડારીયા હોલ પહોંચ્યા હતા.ત્યાં બેરોજગાર નવ યુવાનો બહુ મોટી સંખ્યામાં રાધનપુર ખાતે પધાર્યા હતાં ત્યારબાદ શ્રી યુવરાજસિંહ જાડેજા નું સન્માન લાલજીભાઈ ઠાકોર, મહેશભાઈ ઠાકોર, નરેશભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજ ના અન્ય મિત્રો દ્વારા સંતશ્રી સદારામ બાપુ નો ફોટો આપીને સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ શ્રી અનિલસિંહ રાઠોડ સમી તાલુકા પૂર્વ પ્રમુખ(આમ આદમી પાર્ટી) દ્વારા શ્રી યુવરાજસિંહ જાડેજા ને તલવાર ભેટ આવી. યુવરજસિંહ જાડેજા દ્વારા ગુજરાત ની ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ, મહિલા પ્રમુખ કલાવતીબેન લોકસભા પ્રમુખ પ્રશાંત ચૌધરી તેમજ સમી તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon