આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૂપ દ્વારા ઓનલાઈન વેબીનાર - At This Time

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૂપ દ્વારા ઓનલાઈન વેબીનાર


આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા SSC/HSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું

આજકાલ જ્યારે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખોટો સ્ટ્રેસનો અનુભવ કરતા હોય છે અને આત્મહત્યા જેવા પણ બનાવ બનતા હોય છે. જે અન્વયે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા આવનારી બોર્ડની પરીક્ષામાં સર્વે સમાજના  વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે

તારીખ 01 માર્ચ 2023 ના રોજ એક વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ આખરી દિવસોમાં તૈયારી કેવી રીતે કરવી? પુરવણી કેવી રીતે લખવી, માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ વગેરે બાબતોની સરળ ભાષામાં વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું હતું..

આ વેબીનારમાં મુખ્ય વક્તાશ્રી અશોકભાઈ ગુજ્જર ( પ્રખ્યાત મોટીવેટર) શ્રી વિરુભાઇ કંડોરિયા (કેળવણીકાર) શ્રી વિપુલભાઈ બલદાણીયા (ઉચ્ચતર માધ્યમિક શિક્ષક) હતા અને સંવાદ વકતા તરીકે 

શ્રી મથુરભાઈ બલદાણીયા સહ એડમીન asvk ગ્રુપ ગુજરાત જોડાયા હતા આ વેબીનારનો ઘણાં લોકોએ લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon