રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે વીર પોલીસ જવાનોને ભાવાજંલી આપવામાં આવી - At This Time

રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે વીર પોલીસ જવાનોને ભાવાજંલી આપવામાં આવી


દાહોદના પોલીસ પરેડ ગાઉન્ડ ખાતે આજના રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે વીર પોલીસ જવાનોને ભાવાજંલી આપવામાં આવી હતી. જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ફરજ નિભાવતા શહીદ થનારા પોલીસ જવાનોને શ્રધાંજલિ અર્પી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ ચીની સૈનિકોએ લદ્દખમાં સૈનિકો ઉપર કરેલા હુમલામાં પોલિસ જવાનો શહીદ થયા હતા. જે નિમિત્તે આજના દિવસે તેમની યાદમાં શ્રદ્ધાજલી આપવામાં આવે છે.

આ વેળા એ.એસ.પી જગદીશ બાંગરવા,નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી, સહિત પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon