શિશુવિહાર પ્રાંગણમાં ૮૬ માં વર્ષએ હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન - At This Time

શિશુવિહાર પ્રાંગણમાં ૮૬ માં વર્ષએ હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન


શિશુવિહાર પ્રાંગણમાં ૮૬ માં વર્ષએ હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન

ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં ૮૬ માં વર્ષએ હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન ......
ફાગણ પૂર્ણિમા પ્રસંગે ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા ડંબેલ્સ, લેઝીમ,અને લાઠી ના પારંપરિક ભારતીય વ્યાયામ નું નિદર્શન થયુંહતું.આ પ્રસંગે શિશુવિહાર ની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ શ્રી મહાશ્વેતાબેન ત્રિપાઠી તથા સાગરભાઈ મહેતાની સ્મૃતિમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી ૩૦૦૦ થી વધુ ચક્ષુદાન લેનાર સેવાભાવી ડૉ.પ્રકાશભાઈ ભટ્ટ વરિષ્ઠ પત્રકાર શ્રી બકુલભાઈ ચાતુર્વેદી તેમજ મહિલા ઉત્કર્ષ માટે કટિબદ્ધ શ્રી ઈલાબહેન ઓઝાનું વિશિષ્ટ અભિવાદન થયું આ પ્રસંગે સંસ્થા ના ભૂતપૂર્વ વિધાર્થી શ્રી ઇન્દિરા બહેન ત્રિવેદી તથા અમેરિકા માં સ્થાયી થયેલ સંસ્થાના વિદ્યાર્થી શ્રી મહર્ષિભાઈ ના અધ્યક્ષ સ્થાને ૧૦ સ્કાઉટ તાલીમાર્થીઓ નું નિયમિત વિદ્યાર્થી તરીકે અભિવાદન થયું હોળી પ્રાગટ્ય અને ધાણી ખજૂર દાળીયા ના પ્રસાદ સાથે આનંદભેદ યોજાયેલ સમારોહમાં પાંચ દસકા ની આયુષ વટાવી ગયેલા બધા વિદ્યાર્થીઓએ ફાગણ ના ગીતો પણ ગાયા અને સ્વરુચિ ભોજન નો આનંદ લીધો હતો. પ્રતિવર્ષ શિશુવિહાર ની સેવા ભૂમિ ઉપર યોજાતા પૂર્વ વિદ્યાર્થીઓના ભાવાત્મક કાર્યક્રમનું સંચાલન શ્રી રક્ષા બહેન ભટ્ટે કર્યું હતું....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image