ગરુડેશ્વર મહાદેવ જેઠોલી
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામમાં આવેલ ગરુડેશ્વર મહાદેવ મંદિરે પોલીસ અધિકારીઓ દ્વારા શિવરાત્રી ની આરતી ઉતારવામાં આવી.
શિવરાત્રીના પાવન પ્રસંગે જેઠોલી ગામના ગ્રામજનો દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. ઉજવણીના ભાગરૂપે સાંજે સમસ્ત ગ્રામજનો એકઠા થયેલ હતા અને આરતી ઉતારવા માટે પોલીસ અધિકારીઓ ને આમંત્રણ આપેલું જેથી બાલાસિનોર તાલુકાના અને રૂરલ પોલીસ સ્ટેશનના બંને પીઆઈ શ્રી નિનામા સાહેબ, પીઆઇ શ્રી ભગોરા સાહેબ, પીએસઆઇ સીસોદીયા સાહેબ, પીએસઆઇ ભરવાડ સાહેબ હાજર રહ્યા હતા જેથી ગ્રામજનો પણ ખુશ થયાં અને હર્ષની લાગણી અનુભવી હતી.
ભૌમિક પટેલ મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]