દિકરી ભાગી ગયાનું સમજી પરિવારજનો સામાન બાંધી વતન જવા રવાના થયા ત્‍યારપછી દિકરીની લાશ કૂવામાંથી મળી* - At This Time

દિકરી ભાગી ગયાનું સમજી પરિવારજનો સામાન બાંધી વતન જવા રવાના થયા ત્‍યારપછી દિકરીની લાશ કૂવામાંથી મળી*


*દિકરી ભાગી ગયાનું સમજી પરિવારજનો સામાન બાંધી વતન જવા રવાના થયા ત્‍યારપછી દિકરીની લાશ કૂવામાંથી મળી*

ગવરીદળમાં વાડીમાં મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના પરિવારની ૧૮ વર્ષની શુર્મિલા ઉર્ફ નનકીએ આપઘાત કર્યાની શક્‍યતા : પરિવારજનો હોળી આવતી હોઇ વતનમાં જવા તૈયાર થયા ત્‍યારે દિકરી બાજુની વાડીમાં સામાન લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થઇ હતીઃ અગાઉ એક દિકરી ભાગી ગઇ હોઇ આ પણ ભાગી ગઇ હશે તેમ સમજી સ્‍વજનો રવાના થયા હતાં: સરધાર પાસે પહોંચ્‍યા ત્‍યાં વાડી માલિકનો ફોન આવતાં બધા પાછા ફર્યાઃ નનકીના હોળી પછી લગ્ન થવાના હતાં

રાજકોટ ના કુવાડવાના ગવરીદળમાં આવેલી નિતીનભાઇ પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના મજૂર પરિવાર સાથે કરૂણ ઘટના બની ગઇ હતી. પરિવારજનો હોળી આવી રહી હોઇ ગઇકાલે વતન જવા તૈયાર થયા હતાં. ભાડે વાહન બાંધી સામાન બાંધી લીધો હતો. એ દરમિયાન અઢાર વર્ષની દિકરી બાજુની વાડીમાં પોતાનો સામાન લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ પાછી ન આવતાં તેણી કોઇ સાથે ભાગી ગયાનું સમજી પિતા-માતા સહિતના પરિવારજનો સાંજે વતન જવા રવાના થઇ ગયા હતાં. સરધાર નજીક પહોંચ્‍યા ત્‍યારે વાડી માલિકે ફોન કરી ગૂમ થયેલી દિકરીની લાશ કૂવામાં હોવાનું કહેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી અને બધા પરત આવ્‍યા હતાં. બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ મધ્‍યપ્રદેશના જસવંતસિંગ ભહીડા અને તેના પત્‍નિ તથા આઠ દિકરીઓનો પરિવાર ગવરીદળમાં નિતીનભાઇની વાડીમાં રહી મજૂરી કરે છે. આગામી સમયમાં હોળીનો તહેવાર આવવાનો હોઇ અને બીજા નંબરની દિકરી શુર્મિલા ઉર્ફ નનકી (ઉ.વ.૧૮)ના લગ્ન પણ કરવાના હોઇ ગઇકાલે આ પરિવારના લોકો વતનમાં જવા તૈયારી કરી રહ્યા હતાં. વાહન બોલાવી પોતાનો સામાન કેરીયર પર બાંધી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon