આણંદ પાસે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સાથે હવે ગાય અથડાઇ, - At This Time

આણંદ પાસે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સાથે હવે ગાય અથડાઇ,


વંદેભારત ટ્રેનને અમદાવાદમાં નડેલા અકસ્માત બાદ ગાંધીનગર રવાના કરાઈ હતી. ત્યારબાદ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા મેઈન્ટેન્સમાં મોકલીને એક જરાતમાં રિપેર કરી દેવામાં આવી હતી. જોકે, આજે શુક્રવારે ફરી આજ ટ્રેનને ગાંધીનગરથી મુંબઈ જતી વેળા અકસ્માત નડ્યો હતો. ફરીવાર પણ એક ઢોર આડે આવ્યું હતું. જો કે આ વખતે નુકસાન બહુ ઓછું હતું
હવે મુંબઈ જતી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યોઆ અંગે વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત PRO પ્રદિપ શર્માએ દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે સાંજે લગભગ પોણા ચાર વાગ્યે ગાંધીનગરથી મુંબઇ જઇ રહેલી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ હતી. ઘટનાને કારણે ટ્રેન 10 દસ મિનિટ લેટ ચાલી રહી છે. ગાયના માલિકની શોધ કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon