‘પરીક્ષાઓ રદ કરી મળતિયાને બચાવી લીધા, AAPમાં સક્રિય થઈશ, ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે’ - At This Time

‘પરીક્ષાઓ રદ કરી મળતિયાને બચાવી લીધા, AAPમાં સક્રિય થઈશ, ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે’


રાજકોટ શહેરમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની એક પત્રકાર પરિષદ યોજી જતી. જ્યાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, પરીક્ષાઓ રદ્દ કરી મળતિયાને બચાવી લીધા છે. હવે AAPમાં સક્રિય થઈશ અને ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે. આ તકે યુવરાજસિંહે અગાઉ થયેલા પેપર લીક મામલે આજે મહિનાઓ બાદ પણ કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે-સાથે સબ ઓડિટરની નિમણુંકમાં કૌભાંડનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon