રક્તદાન મહાદાન: થાનગઢમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે શહેર પ્રમુખ શ્રી જીતુભાઇ પુજારાના લઘુબંધુ સ્વ. પ્રવિણભાઇ પુજારાને શ્રદ્ધાંજલિ અર્પવા હેતુ લાયન્સ કલબ તથા થાનગઢ યુવા મોરચા દ્વારા મહા રક્તદાન શિબિર યોજાઈ,: ૫૧ યુનિટ રક્ત એકત્ર કરાયું* - At This Time

રક્તદાન મહાદાન: થાનગઢમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે શહેર પ્રમુખ શ્રી જીતુભાઇ પુજારાના લઘુબંધુ સ્વ. પ્રવિણભાઇ પુજારાને શ્રદ્ધાંજલિ અર્પવા હેતુ લાયન્સ કલબ તથા થાનગઢ યુવા મોરચા દ્વારા મહા રક્તદાન શિબિર યોજાઈ,: ૫૧ યુનિટ રક્ત એકત્ર કરાયું*


◼️ થાનગઢ: (શ્રી જયેશભાઈ મોરી દ્વારા): શહેર પ્રમુખ શ્રી જીતુભાઇ પુજારાના લઘુબંધુ સ્વ. પ્રવિણભાઇ પુજારાની સ્મૃતિમાં થાનગઢ યુવા મોરચા તથા લાયન્સ કલબ થાનગઢ દ્વારા અત્રેના મેળાના મેદાન સામે આવેલી સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં મહા રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં ૫૧ યુનિટ રક્ત એકત્ર કરાયુ હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ રક્તદાન કર્યું હતું. ભારતીય જન સંઘના સ્થાપક અને જમ્મુ અને કાશ્મીરના લાલચોકમાં ત્રીરંગો લહેરાવનારા એવા દેશભક્ત શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે થાનગઢ ખાતે ભારતીય યુવા મોરચા, લાયન્સ કલબ અને પુજારા પરિવારના સહયોગથી સમસ્ત બ્રહ્મ સમાજ વાડી ખાતે મહા રક્તદાન શિબિર યોજાઈ હતી.‌ આ રક્તદાન શિબિરમાં મુખ્યમહેમાનપદે રાજ્ય સરકારમાં સુરેન્દ્રનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઇ મકવાણાએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પી તેમજ સ્વ. પ્રવિણભાઇ પુજારાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઇ ખાંદલા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ તેમજ જિલ્લા ઉપપ્રમુખ શ્રી લીનાબેન ડોડીયા, થાનગઢ શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ પૂજારા, મહામંત્રી મુળભા ગઢવી તથા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પુર્વ ડીસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી સુરેશભાઈ સંઘવી, દીવ્યેશભાઈ સાકરિયા, ચંદ્રકાન્તભાઈ દફતરી, રમેશભાઈ રૂપાલા, હાર્દીકભાઈ મહેતા તેમજ સુરેન્દ્રનગર રાજકોટ અને મોરબીથી અનેક કેબીનેટ ઓફીસરોએ હાજરી નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.