માળીયા હાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ- ગૌરક્ષાદળ ના હોદ્દેદારો અને કાર્યકરો નું પ્રખંડ બેઠક યોજાણી - At This Time

માળીયા હાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ- ગૌરક્ષાદળ ના હોદ્દેદારો અને કાર્યકરો નું પ્રખંડ બેઠક યોજાણી


આ બેઠક માં કાર્યોકરો દ્વારા હનુમાન ચાલીસા તેમજ ધૂન આરતી પણ રાખવામાં આવી હતી

માળીયા હાટીના તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ- ગૌરક્ષાદળ ના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાતા જેમને ખેસ પહેરાવી નિમણુંક આપવામાં આવી હતી

માળીયા હાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ- ગૌરક્ષાદળ ના હોદ્દેદારો અને કાર્યકરો નું પ્રખંડ સંમેલન માં ધૂન બોલી દીપ પ્રાગટય કરી ભુપતભાઇ ગોવાણી , સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી, લખનભાઈ કામરીયા તાલુકા પ્રમુખ-વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ, મહેશભાઈ પાંશેરિયા મહામંત્રી વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ , મહેન્દ્રસિંહ દયાતર, જિલ્લા અધ્યક્ષ બજરંગદળ બલોપાસના પ્રમુખની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાણી

આ બેઠકમાં આગામી રામ-નવમી ના ભવ્ય રથયાત્રા નું આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માળીયાહાટીના પ્રખંડના ખંડ માં આવતા 57 ગામ માંથી 28 જેટલા ગામોમાં ટિમો બનેલી તે ગામના યુવાનોને જવાબદારી ની નિમણૂક આપી હતી, હિત ચિંતક અભિયાન નું માર્ગદર્શન આપી વધુમાં વધુ લોકો સંગઠન માં જોડાય અને સંગઠન વિશાળ બને તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું હતું

માળીયાહાટીના શહેર તેમજ તાલુકા ટિમ માં નવી જવાબદારી નિમણુંક સોંપવી
હોદ્દેદારો અને કાર્યકરો ના પ્રશ્નોતરી તેમજ
વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ- ગૌરક્ષાદળ- દુર્ગાવાહીની ની કામગીરી ની માહિતી નવા કાર્યકરો ને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

આ કાર્યક્રમને સફળ બનાવવા માળીયા હાટીના તાલુકા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ ડો.અજયસિંહ સીસોદીયા,
માળીયા હાટીના બજરંગદળ પ્રમુખ અનુપસિંહ સીસોદીયા, વિશ્વ હિન્દુ પરિષદ લીગલ એડવાઇઝર સેલ વિલાસ કુમાર ટી.ગોરડ(L.L.B), વિશ્વ હિન્દુ પરિષદ ઉપ પ્રમુખ ગૌતમભાઈ દવે. સહિતના લોકોએ ભારી જહેમત ઉઠાવી હતી

બાઈટ લખનભાઈ કામરીયા
તાલુકા પ્રમુખ-વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon