મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડાબેટ ગામ ના ૯૦૦ થી વધુ આદીવાસી લોકો પોતાનાં જીવ જોખમમાં નાખીને અવર જવર કરે છે તેમ છતાં અત્યાર સુધી સરકારે આ લોકો માટે કોઈ વ્યવસ્થા કરી નથી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/668eoz0htz5hsbeh/" left="-10"]

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડાબેટ ગામ ના ૯૦૦ થી વધુ આદીવાસી લોકો પોતાનાં જીવ જોખમમાં નાખીને અવર જવર કરે છે તેમ છતાં અત્યાર સુધી સરકારે આ લોકો માટે કોઈ વ્યવસ્થા કરી નથી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડાબેટ ગામ ના ૯૦૦ થી વધુ આદીવાસી લોકો પોતાનાં જીવ જોખમમાં નાખીને અવર જવર કરે છે તેમ છતાં અત્યાર સુધી સરકારે આ લોકો માટે કોઈ વ્યવસ્થા નથી કરી.

કડાણાનાં જળાશય વચ્ચે આવેલા આ ગામ માં વર્ષોથી ગામલોકો જીવન જરૂિયાતની વસ્તુઓ લેવા કે અન્ય કોઇ પણ કામ માટે ગામ બહાર જવાનું થાય તો તેમની પાસે એક માત્ર વિકલ્પ છે “હોડી" અહીંયા કોઇ મરણપ્રસંગ હોય કે કોઈ શુભ પ્રસંગ હોય મંડપથી લઈને રસોડાનો તમામ સમાન હોડીમાં લઈ જવામાં આવે છે

પુલ કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નાં થાય ત્યાં સુધી આ ગામ લોકોને આવી રીતે અવર જવર કરવી ક્યારેક મોટું જોખમ નાં બને એના માટે કડાણા તાલુકાના સ્થાનિક નેતાઓએ અને અઘિકારીઓ એ આ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]