ચોકડી ગામે તાજીયા જુલૂસ ની હરધર તિરંગા ની સાથે ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5hywtaljmapwog7f/" left="-10"]

ચોકડી ગામે તાજીયા જુલૂસ ની હરધર તિરંગા ની સાથે ઉજવણી કરવામાં આવી


મુસ્લિમ સમાજ ના તહેવાર મોહરમ તાજીયા જુલૂસ નિમિત્તે બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના ચોકડી ગામે આજરોજ તાજીયા ની ઉજવણી કરવામાં આવી હતી જેમા આયોજક શ્રી બરવાળા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના લધુમતી મોરચા પ્રમુખ રિયાઝભાઈ નક્વી તેમજ બોટાદ જિલ્લા ના લધુમતી મોરચા મહામંત્રી અમાનતભાઈ નક્વી તેમજ સરદાર અલી બાપુ તેમજ અકિલબાપુ તેમજ બરવાળા તાલુકા પ્રમુખશ્રી સુરેશભાઈ ગઢીયા તથા વિજયભાઈ ડેડાણીયા તાલુકા સદસ્ય તેમજ રતિલાલભાઈ મહામંત્રી તથા હિંમતભાઈ મેર ઉપ પ્રમુખ બરવાળા શહેર ઉપસ્થિત રહ્યા હતા ત્યાંરે આજરોજ ચોકડી સાદાત જમાત દ્રારા આજે તાજીયા નું જુલુશ કાઢવામાં આવ્યું હતું જેમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું છે જેમાં તિરંગા ની ઉજવણી આ તાજીયા જુલૂસ મા યોજી ચોકડી ગામ ના મુસ્લિમ ભાઈઓ દ્રારા એક અલગજ મેસેજ આપ્યો હતો તેમજ ચોકડી ગામે હિન્દુ મુસ્લિમ એકતા પ્રતીક સાથે છેલ્લા ધણા વર્ષો થી. આ તાજીયા યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે શાન્તિ પુર્વક આ તાજીયા જુલૂસ ચોકડી ગામે પુર્ણ થયેલ હતુ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]