બગોદરા108ની પ્રમાણિકતા - At This Time

બગોદરા108ની પ્રમાણિકતા


ગતરોજસવારના સુમારે અંદાજિત નવ વાગ્યાની આસપાસ ગુંદી ફાટક અને ધીંગડા વચ્ચે કુબેરનગરના રહેતા ત્રણ મિત્રો સાળંગપુર થી દર્શન કરી અમદાવાદ પરત ફરતા રસ્તામાં ફોરવીલ નું ટાયર ફાટતા ફોરવીલ ટ્રકમાં ઘૂસી ગયા જેમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકો હતા 108 માં જાણ કરતા બગોદરા 108 ના પાયલોટ લાલજીભાઈ ઝીંઝવાડીયા તથા ઇએમટી કલ્પેશભાઈ જાની ઘટના સ્થળ ઉપર જાય ત્રણેય દર્દીને જરૂરી સારવાર આપી પહેલા બગોદરા તથા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
1. જયેશભાઈ શીતલદાસ રામ ચંદાણી ઉંમર વર્ષ 35 રહે કુબેર નગર અમદાવાદ
2. મનીષભાઈ મોહનભાઈ મહેર ચંદાણી ઉંમર વર્ષ 28 રહે કુબેરનગર અમદાવાદ
3. કૃણાલભાઈ સુનિલકુમાર વાઘવાણી ઉંમર વર્ષ 21 રહે કુબેર નગર અમદાવાદ
જેઓ પાસેથી અકસ્માત દરમિયાન 41 હજાર રૂપિયા રોકડા તથા જરૂરી ડોક્યુમેન્ટ જેમાં પાનકાર્ડ આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે વસ્તુ જયેશભાઈ ના ભાઈ ને આપેલ છે આ એક પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે જયેશભાઈ ના ભાઈ તથા સગા સંબધો 108 પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો

રીપોર્ટર : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon