સાયલાના ડોળીયા માં શ્રી બાલ સંસ્કાર મંદિર, વિદ્યાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4j3sypsruh8u18s0/" left="-10"]

સાયલાના ડોળીયા માં શ્રી બાલ સંસ્કાર મંદિર, વિદ્યાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો


ભારત દેશ સ્વતંત્ર થયાને 75 વર્ષ થવાના ઉપક્રમે સરકારશ્રી દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત સરકારશ્રીના વિવિધ વિભાગો, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે. શ્રી બાલ સંસ્કાર મંદિર, વિદ્યાલય ડોળીયા દ્વારા પણ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને પર્યાવરણની જાળવણીના મૂલ્યનો વિકાસ થાય એ માટે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત શાળાના શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા તા.07/07/2022ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તથા દરેક વિદ્યાર્થીને પોતે વાવેલ વૃક્ષના ઉછેરની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી મનસુખભાઈ મકવાણા તથા તમામ શૈક્ષણિક સ્ટાફે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયેલ હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]