આજેજિલ્લા કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલએ ભાજપ પર યુવાઓના ભવિષ્ય ફોડવાનું કાવતરું રચ્યાનો લગાવ્યો આક્ષેપ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3zwfolyffasrt5ja/" left="-10"]

આજેજિલ્લા કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલએ ભાજપ પર યુવાઓના ભવિષ્ય ફોડવાનું કાવતરું રચ્યાનો લગાવ્યો આક્ષેપ


ભૂપેન્દ્ર પટેલ સરકારને 156 સિટ મળતા અભિમાન આવી ગયું - જયદીપસિંહ ગોહિલ
જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને નેતા જયદીપસિંહએ ભાજપ પર યુવાઓના ભવિષ્ય ફોડવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જયદીપસિંહએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં પણ પેપર ફોડવાની પરંપરા રહેલી છે. ચૂંટણી આવી તે સમયે પણ કોંગ્રેસે પેપર ફોડ સરકારને ઘર ભેગી કરવા યુવાનોને અપીલ કરી હતી. પરંતુ યુવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહની વાતોમાં આવી ગયા હતા. વધુમાં કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારને 156 સિટ મળતા અભિમાન આવી ગયું છે. ભાજપ સરકાર દ્વારા પેપર ફોડીને પોતાના મળતીયાવોને નોકરીમાં ઘુસાડવાનું કાવતરું રચવામાં આવ્યુ છે. છેલ્લા 25 વર્ષથી લાગવગ અને પૈસાથી ગુજરાતમાં ભાજપ સરકારમાં નોકરી મળે છે. તેઓ આરોપ જયદીપસિંહએ કર્યો હતો. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]