સામખિયાળી ભંગારના વાડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી - At This Time

સામખિયાળી ભંગારના વાડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી


સામખિયાળી ભારત હોટલ ની સામે આવેલ ભંગારના વાડામાં આગ લાગતાં અફરા તફરી મચી હતી
આગ લાગવાના બનાવો સતત વધતાં હોય છે ત્યારે ગઈ કાલે પણ સામખિયાળી બ્રિજ થી થોડેક દુર આવેલ ભંગાર ના વાડામાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાના કારણે ભારે દોડધામ મચી હતી. જેની જાણ નજીક માં આવેલી ગેલ ઈન્ડિયા કંપની ને લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા કરવમાં આવી હતી જેથી ગેલ ઈન્ડિયા કંપની નું ફાયર ટેન્ડર પહોંચી આવ્યું હતું અને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
જે આગ વિકરાળ સ્વરૂપ લે તેનાં પહેલા આગ પર કાબૂ મેળવાયુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon