સૌ.યુનિ.ના કવિ સંમેલનમાં ગાંધી વિરોધી કવિતાનું પઠન કરનાર કવિ સામે ફરિયાદ કરવા પોલીસમાં અરજી - At This Time

સૌ.યુનિ.ના કવિ સંમેલનમાં ગાંધી વિરોધી કવિતાનું પઠન કરનાર કવિ સામે ફરિયાદ કરવા પોલીસમાં અરજી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલા અખંડ કવિ સંમેલનમાં મહાત્મા ગાંધીના વિરોધરૂપ કવિતાના પઠનથી વિવાદ સર્જાયો છે. જેમાં ગાંધીજીને આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે કહેતા મધ્યપ્રદેશના કવિ સામે ગાંધી પ્રેમીઓમાં કચવાટ ફેલાયો છે. ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગી પદાધિકારીઓને સાથે રાખી ગાંધીજી માટે નબળી વાત રજૂ કરનાર કવિ દેવ કૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon