બાલાસિનોર વિધાનસભામાં કેડીગઢ ખાતે કેન્દ્રીય મંત્રી દેવું સિંહ ચૌહાણ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું - At This Time

બાલાસિનોર વિધાનસભામાં કેડીગઢ ખાતે કેન્દ્રીય મંત્રી દેવું સિંહ ચૌહાણ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું


બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી માનસિંહ ચૌહાણના સમર્થનમાં આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણ પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડ અને બાલાસિનોર ના પૂર્વ ધારાસભ્ય અને દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેશભાઈ (પપ્પુભાઈ)પાઠક, મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ શ્રી લીલાબેન અંકુલીયા ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુકલ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર અજમેલસિંહ પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેન્દ્રભાઈ બારોટ, ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ વણકર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ જિલ્લા ભાજપના હોદ્દેદારો તાલુકા મંડલના પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્યરીઓ સરપંચો પૂર્વ સરપંચશ્રીઓ વગેરે હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી અને વિજય વાવટો ફરકાવી ચારેકોર ભગવો લહેરાવવા માટે આહવાન કર્યું.

સભામાં જોવા મળેલા ઉત્સાહ અને ઉમંગ જોઈને એટલું સુનિશ્ચિત છે કે જનતા-જનાર્દન એક વખત કમળ ખીલવવા માટેનું મન બનાવી ચૂકી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon